
મહાશિવરાત્રી પર દર્શન કરો ભારતના સૌથી ચમત્કારીક અને પ્રાચીન શિવ મંદિરના, જ્યાં શિવભક્તોને થાય છે અઢળક ધન પ્રાપ્તિ..!
મહાદેવના ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવી મહાશિવરાત્રીને હવે ગણતરીની કલાકોની છે. એવામાં આ દિવસે દેશભરમાંથી લોકો શિવના દર્શન કરવા માટે અલગ-અલગ સ્થળોએ મંદિરોમાં જાય છે. મહાશિવરાત્રિનો દિવસ ભક્તો માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે ભોલેનાથ પહેલીવાર શિવલિંગના રૂપમાં જોવા મળ્યા હતા. મહાશિવરાત્રીના દિવસે લોકો મંદિરોમાં જઈને શિવલિંગને જળ ચઢાવે છે. તેમજ પૂજા અર્ચના કરી મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે. એવામાં આજે અમે તમને એવા શિવ મંદીર વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં થયેલો છે. કરોડો વર્ષ પૂર્વેના આ મંદીરમાં દરરોજ ચમત્કરા જોવા મળે છે. આ ચમત્કારીક મંદીરના દર્શનાર્થે અનેક શિવ ભક્તો આવે છે. અને ભગવાન શિવને જળ ચઢાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. આ પૌરાણિક શિવમંદીર નોઈડામાં આવેલું છે. જેનું નામ Vauda Shiv Temple Noida વોડા શિવ મંદિર છે.
આ શિવ મંદિરમાં દર વર્ષે હજારો શિવભક્તો આવે છે. આ સ્થાન વિશે કહેવાય છે કે ભગવાન કુબેરે પોતે અહીં તપસ્યા કરી હતી. આ શિવ મંદિરના દર્શન કરવા માટે ભક્તો ધન પ્રાપ્તિના હેતુથી આવે છે. આ મંદિર નોઈડા શહેરની મધ્યમાં આવેલું છે.કહેવાય છે કે આ મંદિર દ્વાપર અને ત્રેતા કાળથી અસ્તિત્વમાં છે. તે માતા માનસાના પુત્ર ભગવાન વોડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આથી આ મંદિરનું નામ વોડા શિવ મંદિર છે.
જો તમે આ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે દરરોજ સવારે 4 થી બપોરે 12 વાગ્યા સુધી અહીં જઈ શકો છો. આ ઉપરાંત, મંદિર બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.
કેવી રીતે પહોંચવું ? - તમે નજીકના મેટ્રો સ્ટેશન નોઈડા સિટી સેન્ટરથી અહીં પહોંચી શકો છો. તમને મેટ્રોમાંથી 20 રૂપિયામાં ઓટો મળશે. આ મંદિર સેક્ટર 104માં રોડ કિનારે આવેલું છે.
ગ્રેટર નોઈડાના બિસરખ ગામમાં એક શિવ મંદિર છે, જે રાવણના જન્મ સાથે જોડાયેલું છે. આ મંદિરમાં તમને આઠ હાથવાળા શિવલિંગ જોવાનો મોકો મળશે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં વર્ષોથી ભગવાન રામ અને રાવણની પૂજા કરવામાં આવે છે. આ ગામમાં લંકાપતિ રાવણનો જન્મ થયો હતો. રાવણ અહીં ભગવાન શિવની પૂજા કરવા આવતો હતો. એટલા માટે આ શિવ મંદિર વધુ ખાસ છે.
નોઈડાના સેક્ટર 44માં સ્થિત છલેરા ગામનું પ્રાચીન શિવ મંદિર એક ખાસ મંદિર છે. આ મંદિરમાં દરરોજ ભક્તો ભોલે બાબાની પૂજા કરવા આવે છે. આ મંદિર ખૂબ મોટી જગ્યા પર બનેલ છે. મંદિરમાં કુલ 3 દરવાજા છે.
કેવી રીતે પહોંચવું ? - જો તમારે મેટ્રો દ્વારા અહીં આવવું હોય તો તમારે બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રો લેવી પડશે. મેટ્રોમાંથી નીચે ઉતરતા જ તમને ચલેરા શિવ મંદિર માટે 10 રૂપિયામાં ઓટો મળશે. મેટ્રોમાં પાછા ફરવા માટે તમને મંદિરની નજીકથી ઓટો પણ મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Visit India's most miraculous ancient Shiva temple on Mahashivratri vauda Shiva Temple Noida - Best Shiva Temple in India - Shivratri mahapooja - mahadev best mirracle temple